ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ઓફિશિયલ મેસેજ પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને મોકલવામાં આવ્યો છે. જે અનુસાર કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા માહિતી આપવામાં આવી છે. આ મેસેજમાં એવી માહિતી આપવામાં આવી છે કે, માનનીય પ્રધાનમંત્રીશ્રી 27 ફેબ્રુઆરી 2023 ના રોજ બપોરે 3.00 કલાકે પીએમ કિસાન યોજના 13 મો હપ્તો જાહેર કરશે. આ કર્ણાટક રાજ્યના બેલગામી શહેરથી જાહેર કરશે.
Beneficiary Status કેવી રીતે ચેક કરવું?
આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં DBT દ્વારા સહાય ચૂકવાય છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ આ સહાય જમા થઈ કે નહિં તે ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google માં “PM Kisan Portal” ટાઈપ કરો.
- ત્યારબાદ હોમ પેજ પર “Dash Board” પર ક્લિક કરો.
- Beneficiary Status દેખાશે તેના પર ક્લિક કરો.